બંધ

કેવી રીતે પહોંચવું

ટ્રેન દ્વારા:

અમદાવાદ, વડોદરા, સુરત, ચેન્નઈ, નાગપુર, હાવડા, દુર્ગ, રાયપુર, છપરા વગેરે જેવી મેઈલ / એક્સપ્રેસ,સુપરફાસ્ટ ટ્રેનો દ્વારા વ્યારા રેલવે સ્ટેશન કેટલાક મુખ્ય સ્થાનો સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન સુરત છે જે 70 કિલોમીટરના અંતરે છે, જે ભારતના લગભગ તમામ રાજ્યો સાથે સારી રીતે જોડાયેલું છે.અમદાવાદ-ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ, હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, તાપ્તી ગંગા એક્સપ્રેસ, ભાગલપુર એક્સપ્રેસ, સુરત-અમરાવતી એક્સપ્રેસ,  ટ્રેનોને વ્યારા સ્ટોપેજ આપેલ છે.

માર્ગ દ્વારા:

વ્યારા માર્ગ પરિવહન દ્વારા બાકીના ગુજરાત સાથે સારી રીતે જોડાયેલું છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય પ્રદેશ સાથે પણ તે સારી રીતે રસ્તાઓ દ્વારા જોડાયેલુ છે. સુરત એ 70 કિલોમીટરના અંતરે આવેલું મુખ્ય શહેર છે જ્યાંથી સરળતાથી વ્યારા સુધી પહોંચી શકાય છે. સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈ, ભુસાવાલ, શિરડી, નાસિક જેવા નજીકના શહેરોથી વ્યારાનું અંતર અનુક્રમે 70 કિલોમીટર, 310 કિલોમીટર, 490 કિલોમીટર, 300 કિમી, 285 કિમી, 265 કિમી, 240 કિમી છે.

હવાઈ માર્ગ દ્વારા

વ્યારાથી નજીકનું હવાઈમથક સુરત છે જે 70 કિલોમીટરના અંતરે આવેલ છે. સુરતથી દિલ્હી, મુંબઇ, જયપુર, કોલકાતા, હૈદરાબાદ વગેરે શહેરો માટે હવાઇ જહાજ ઉપલબ્ધ છે.